Gyan Sadhana Scholarship 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે

Gyan Sadhana Scholarship 2024: ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે Gyan Sadhana Scholarship 2024 ની શરૂ કરી છે. ધોરણ IX થી XII માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાંથી નાણાકીય સહાય મળે છે.

Gyan Sadhana Scholarship 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

યોજનાનુ નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024
યોજનાના લાભાર્થીધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત રાજ્યના મુખ્યમંત્રી
એપ્લિકેશન મોડઓનલાઇન
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

જ્ઞાન સાધના સ્કોલરશીપનો હેતુ

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ સ્કોલરશીપ મળશે. Gyan Sadhana Scholarship સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલીરકમ મળશે?

  • ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
  • સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
  • સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પાત્રતા

  • ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

કેવી રીતે કરશો અરજી

  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
  • જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  • ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  • ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  • ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

Pradhan Mantri Ujjwala Yojana : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીં થી અરજી ફોર્મ ભરો

Leave a Comment